પથ્થરનો એક ભાગ બહારની તરફ નીકળી રહ્યો હતો અને ખેતીમાં અવરોધ ઊભો કરી રહ્યો હતો. આથી તેઓ ઇચ્છતા હતા કે ખેતી માટે જમીન સમતળ કરવામાં આવે. પરંતુ જેમ જેમ જમીન ખોદવામાં આવી હતી, તે નીચે એક વિશાળ પથ્થર તરફ દોરી ગઈ હતી અને તે પત્થર ની શીલાને ક્રેન ની મદદ થી બહાર કાઢવામાં આવી હતી. જાણકારોને આ પથ્થરની ગુણવત્તા શ્રેષ્ઠ માં પણ શ્રેષ્ઠ હોવાનું જણાયું હતું, અને અયોધ્યાના મંદિર ટ્રસ્ટને સંપર્ક કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટના અધિકારીઓ અને નિષ્ણાંતોની મુલાકાત અને ચર્ચા-વિચારણા પછી મૂર્તિને બનાવવા માટે તે શિલાનો ઉપયોગ કરવાનું નક્કી થયું હતું.
આ "કૃષ્ણ શિલા" પથ્થર પસંદ કરવામાં આવ્યો હતો કારણ એ છે કે તે એસિડ જેવી કોઈપણ વસ્તુની તેના પર પ્રતિક્રિયા થતી નથી. આનો અર્થ એ છે કે જ્યારે મૂર્તિ પર દૂધથી અભિષેક કરવામાં આવે છે, ત્યારે મૂતિ પર સમય જતાં કોઈ પ્રતિક્રિયા થશે નહીં અથવા કોઈ બાહ્ય અસર કરશે નહીં અને મૂર્તિનું ભુવન-મનોહર સ્વરૂપ હજારો વર્ષો સુધી જળવાઈ રહે.
શ્રી તિરુપતિ બાલાજી, શ્રી નાથજી અને શ્રી દ્વારકાધીશની મૂર્તિઓ પણ શ્યામ રંગની જ છે.
વાલ્મીકિ રામાયણમાં ભગવાન રામના સ્વરૂપમાં, તેમને શ્યામ રંગના, ખૂબ જ સુંદર, કોમળ અને આકર્ષક તરીકે વર્ણવવામાં આવ્યા છે. એટલા માટે રામલલાની મૂર્તિનો રંગ કાળો રાખવામાં આવ્યો છે.