"દવાઓના પત્તા પર કેમ હોય છે લાલ રંગની પટ્ટી? આ દવાઓ ખરીદતી વખતે કઈ વિશેષ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, જાણો..."

A PLUS INFORMATION
0
આપણામાંના મોટા ભાગના લોકો બીમાર પડયા પછી, ડોક્ટર પાસે જવાને બદલે સીધા જ મેડિકલ સ્ટોર પર જાય છે અને કંઇપણ વિચાર્યા વિના તે જે-તે રોગની દવાઓ ખરીદે છે. કેટલીકવાર આ દવાઓથી રોગોમાંથી રાહત મળે છે, પરંતુ કેટલીક વાર આ દવાના કારણે ગંભીર પરિણામો પણ ભોગવવા પડે છે. જો તમે ધ્યાન આપ્યું હોય, તો તમે જોયું જ હશે કે, ઘણી દવાઓના પત્તા પર લાલ રંગની પટ્ટી હોય છે. પરંતુ શું તમે આ પટ્ટીનો અર્થ જાણો છો? નહીં ને તો ચાલો જાણીએ...

આ લાલ રંગની પટ્ટી વિશે ડોકટરો વધુ સારી રીતે જાણે છે. પરંતુ સામાન્ય લોકો તેના વિશેની કોઈ માહિતી જાણતા હોતા નથી. આવી સ્થિતિમાં, લોકો ડોકટરોની સલાહ વિના મેડિકલમાંથી દવા ખરીદે છે અને સમસ્યાનું સમાધાન શોધવાની જગ્યાએ સમસ્યા વધે છે. તેથી, દવાઓ ખરીદતી વખતે ખૂબ કાળજી લેવી જરૂરી છે.

ખરેખર, દવાઓના પત્તા પર લાલ રંગની પટ્ટીનો અર્થ એ છે કે, ડોક્ટરની સલાહ વિના આ દવાઓ વેચી શકાતી નથી અને તેનો ઉપયોગ પણ કરી શકતો નથી. એન્ટિબાયોટિક્સ દવાઓના ખોટા ઉપયોગને રોકવા માટે જ દવાઓના પત્તા પર લાલ રંગની પટ્ટી લગાવવામાં આવે છે.

લાલ રંગની પટ્ટી સિવાય, દવાઓના પત્તા પર બીજી ઘણી ઉપયોગી વસ્તુઓ લખેલી હોય છે, જેના વિશે જાણવું પણ ખૂબ મહત્વનું છે. કેટલીક દવાઓના પત્તા પર Rx લખેલું હોય છે, જેનો અર્થ છે કે, આ દવાઓ ડોક્ટરની સલાહ વિના લેવી જોઈએ નહીં.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)

Made with Love by

આ વેબસાઇટ માં તમને ગુજરાતી માં તમાંમ પ્રકાર ની માહીતી આપવા માં આવશે જેવી કે સમાચાર, વાર્તા, મોબાઇલ …
To Top