શ્રીમદ ભગવતગીતા વાંચવાથી શું ફાયદો થાય છે?

0 A PLUS INFORMATION
તમારે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા શું કામ વાંચવી જોઈએ?

જુવાન એ કઈ રીતે જીવવું એ શીખવા માટે,

તો વૃદ્ધ એ કઈ રીતે મરવું તે શીખવા માટે. (મોક્ષ પ્રાપ્તિ)

.

અજ્ઞાની એ જ્ઞાન માટે,

અને વિદ્વાન એ માર્ગદર્શન માટે.

.

અશિષ્ટ એ શિષ્ટતા માટે,

અને શિષ્ટએ ખંત અને સમર્પણ માટે.

.

નિરાશાવાદી એ આશા માટે,

અને આશાવાદી એ કર્મ નુ મહત્વ જાણવા માટે.

.

કૃતઘ્ન એ કૃતજ્ઞતા માટે,

અને કૃતજ્ઞ એ સેવાકાર્ય માટે.

.

શંકાસ્પદ એ શંકા દૂર કરવા માટે,

ને વિશ્વાશું એ વિશ્વાસ દ્રઢ કરવા માટે.

.

નિર્બળ એ બળ માટે,

અને બળવાન એ દિશા માટે.

.

દરિદ્ર એ સંતોષભાવ રાખવા માટે,

અને શ્રીમંત એ કરુણાભાવ રાખવા માટે.

.

નાસ્તિક એ કર્મ જાણવા માટે,

અને આસ્તિક એ ધર્મ જાણવા માટે.

.

અશાંત એ શાંતિ માટે,

અને શાંત એ સ્થિરતા માટે.

.

અહંકારી એ વિનમ્રતા માટે,

અને વિનમ્ર એ સાહસ માટે.

.

અશ્રદ્ધાળુ એ શ્રદ્ધા માટે,

અને શ્રદ્ધાળુ એ ભક્તિ જાણવા માટે.

.

દુઃખમાં ધીરજ માટે,

ને સુખ માં સંયમ માટે,

.

આમ માણસ માત્ર એ પોતાના ઉદ્ધાર માટે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા નુ વાંચન કરવું જોઈએ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

About Us

આ વેબસાઇટ માં તમને ગુજરાતી માં તમાંમ પ્રકાર ની માહીતી આપવા માં આવશે જેવી કે સમાચાર, વાર્તા, મોબાઇલ ની માહીતી, શેરબજાર ની માહીતી, રાજ નિતી, શિક્ષણ, વ્યાપાર, રોજગાર, ભરતી,રોકાણ, મોજ મસ્તી વગેરે નિ માહીતી આપવા માં આવશે